મહારાષ્ટ્ર સરકાર લંડનમાં આવેલ પ્રતિષ્ઠિત “ઈન્ડિયા હાઉસ”ને પોતાના કબજામાં લેશે અને તેને સ્મારક તરીકે સાચવશે, એમ રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે બુધવારે જણાવ્યું હતું. ઇન્ડિયા હાઉસ એક સમયે વીર સાવરકર સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓનું નિવાસસ્થાન હતું.